કેસો અને અપીલો એક કોર્ટ પાસેથી બીજી કોર્ટને મોકલવાની હાઇકોર્ટને સતા - કલમ:૪૦૭

કેસો અને અપીલો એક કોર્ટ પાસેથી બીજી કોર્ટને મોકલવાની હાઇકોર્ટને સતા

(૧) જયારે પણ હાઇકોટૅને એવુ બતાવવામાં આવે કે (ક) તેની સતા નીચેની કોઇ ફોજદારી કોટૅમાં કોઇ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી યોગ્ય રીતે અને તટસ્થતા પુવૅક થઇ શકે તેમ નથી અથવા

(ખ) કોઇ અસાધારણ મુશ્કેલીભર્યો કાયદાને પ્રશ્ન ઊભો થવા સંભવ છે અથવા (ગ) આ કલમ હેઠળનો હુકમ આ અધિનિયમની જોગવાઇઓ અનુસાર કરવો જરૂરી છે અથવા પક્ષકારો કે સાક્ષીઓની એકંદર સગવડકારક થાય તેમ છે અથવા ન્યાયના હેતુઓ માટે ઇષ્ટ છે તો હાઇકોર્ટ નીચેનો હુકમ કરી શકશે (ક) કલમો ૧૭૭ થી ૧૮૫ (બંને સહિતની કલમો) હેઠળ કોઇ ગુનાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી ન કરી

શકતી હોય પરંતુ બીજી રીતે ગુનાની તપાસ કે ઇન્સાફી કાર્યવાહી કરવાને સમથૅ હોય તેવી કોર્ટે કે ગુનાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરવી (ખ) કોઇ ચોકકસ કેસ કે અપીલ અથવા કોઇ ચોકકસ વગૅના કેસો કે અપીલો પોતાની સતા નીચેની કોઇ

ફોજદારી કોટૅમાંથી સમાન કે ચઢિયાતી હકુમત ધરાવતી બીજી કોઇ ફોજદારી કોર્ટને મોકલી આપવી

(ગ) કોઇ કેસ ઇન્સાફી કાયૅવાહી માટે સેશન્સ કોર્ટેને કમિટ કરવો અથવા

(ઘ) કોઇ ચોકકસ કેસ કે અપીલ પોતાને મોકલવી અને તેની ઇન્સાફી કાયૅવાહી પોતાની સમક્ષ કરવી

(૨) હાઇકોર્ટ એવા પગલા નીચેલી કોટૅના રિપોર્ટ ઉપરથી અથવા હિત ધરાવતા પક્ષકારની અરજી ઉપરથી પોતાની મેળે લઇ શકશે પરંતુ એક જ સેશન્સ વિભાગની કોઇ ફોજદારી કોર્ટનો કેસ તે જ સેશન્સ વિભાગની બીજી ફોજદારી કોર્ટને મોકલવા માટેની અરજી સેશન્સ જજને કરવામાં આવી હોય અને તેણે તે કાઢી નાખી હોય તે સિવાય તેવી અરજી હાઇકોર્ટને કરી શકશે નહીં

(૩) પેટા કલમ (૧) હેઠળના હુકમ માટેની દરેક અરજી વિધિસર રીતે કરવી જોઇશે અને રાજયના એડવોકેટ જનરલ અરજદાર હોય તે સિવાય તેના સમથૅનમાં સોગંદનામુ કે પ્રતિજ્ઞાપત્ર રજુ કરવુ જોઇશે (૪)એવી અરજી આરોપીએ કરેલ હોય ત્યારે હાઇકોટૅ પેટા કલમ (૭) હેઠળ વળતર તરીકે જે રકમ અપાવે તે રકમ ભરી આપવ માટેનો જામીન સહિતનો કે જામીન વિનાનો મુચરકો આપવા હાઇકોર્ટે તેને આદેશ આપી શકશે

(૫) એવી અરજી કરનાર દરેક આરોપીએ તે અરજી કરવાના કારણોની એક નકલ સાથે અરજીની લેખિત નોટીશ પબ્લિક પ્રોસિકયુટરને આપવી જોઇશે અને એવી નોટીશ આપવામાં આવે ત્યારથી તે અરજીની  સુનાવણી થતા સુધી ઓછમાં ઓછા ચોવીસ કલાકનો સમય વીત્યો ન હોય તો અરજીના ગુણદોષ ઉપર કોઇ હુકમ કરી શકશે નહી

(૬) કોઇ કેસ કે અપીલ કોઇ સતા નીચેની કોટૅમાંથી અન્યત્ર મોકલવા માટેની અરજી થયેલ હોય ત્યારે હાઇકોર્ટને એવી ખાતરી થાય કે ન્યાયના હિતમાં તે કરવુ જરૂરી છે તો તે એવો હુકમ કરી શકશે કે અરજીનો નિકાલ થતા સુધી તે સતા નીચેની કોર્ટોમાંની કાયૅવાહી હાઇકોર્ટે મુકવી યોગ્ય ગણે તે શરતોએ મુલતવી રાખવી પરંતુ એ પ્રમાણે કાર્યવાહી મુલતવી રાખવાથી તેવી નીચેની કોર્ટની કલમ ૩૦૯ હેઠળની આરોપીને પાછો કસ્ટડીમાં રાખવા મોકલવાની સતાને બાધ આવશે નહી

(૭) પેટા કલમ (૧) હેઠળના હુકમ માટેની કાર્યવાહી કોઇ અરજી કાઢી નાખવામાં આવે ત્યારે અરજી વિચાર વગરની કે ત્રાસદાયક હતી એવો હાઇકોર્ટનો અભિપ્રાય થાય તો હાઇકોર્ટે કેસના સંજોગો જોતા પોતાને યોગ્ય લાગે તેટલી એક હજાર રૂપીયા સુધીની નિર્દિષ્ટ રકમ અરજદારે તે અરજીના સામાવાળાને વળતર તરીકે આપવી એવો હુકમ કરી શકશે

(૮) હાઇકોટૅ પેટા કલમ (૧) હેઠળ એવો હુકમ કરે કે કોઇ પણ કોટૅમાંથી પોતાની સમક્ષ ઇન્સાફી કાયૅવાહી માટે કેસ મંગાવવો તો તે કેસ એવી રીતે મંગાવવામાં આવ્યો ન હોત તો તે કોર્ટે જે કાયૅરીતિને અનુસરત તે જ કાયૅરીતિ હાઇકોર્ટે ઇન્સાફી કાયૅવાહીમાં અનુસરવુ જોઇએ (૯) કલમ ૧૯૭ હેઠળ સરકારના કોઇ હુકમને આ કલમના કોઇ પણ મજકુરથી બાધ આવશે નહી.